Loading...

હિસાબી વર્ષમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજીમાધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નીચે પ્રમાણેની સંખ્યામાં ઈનામો આપવમાં આવે છે.

પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૭૬

દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૪૪

તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૨૪

પ્રતીક ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૧૫૭

ઉપરોકત દર્શાવેલ સંખ્યા ઉપરથી સમાજના શિક્ષણનો ગ્રાફ જાણી શકાય, જેટલો ગ્રાફ ઊંચો જાય એટલો શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ છે.એમ કહી શકાય. આની માહિતી પરિશિષ્ટ “C” માં આપવામાં આવી છે.(આ યોજનામાં ફોર્મ ભરવાના હોય છે.)

અત્યાર સુધી ધો. ૫ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ જેઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેને ઈનામ આપવમાં આવતાં હતા.

આ યોજનામાં ઊંડો રસ ધરાવનાર શિક્ષણ પ્રેમીઓ છે. તેમણે રૂ. ૫૦૦/- કે ૫૦૦૦/- થી વધુ કાયમી શિક્ષણ ફંડ યોજનામાં દાન પેટે આપેલ છે. આ રકમ વ્યાજમાં થી આપણા સમાજના જે તેજસ્વી તારલાઓ જુદા જુદા અભ્યાસક્રમોમાં થી પ્રથમક્રમે આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં છે.

આજના સમયમાં શાળાઓમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરવા જાય છે તે માટે લેખનપ્રવ્રુતિ અત્યંત જરૂરી બની ગઈ છે. દિનપ્રતિદિન શાળાઓમાં વર્ગકાર્ય અને ધરે ગૃહકાર્ય માટે નોટબુકો વધુ પ્રમાણમાં જોઈએ છે. આ ઉપરાંત ટ્યુશન કલાસમાં જતા વિદ્યાર્થી ને પણ નોટબુક જોઈએ જ. આ બધાને લીધે નોટબુકની જરૂરિયાત વધી જાય છે. હાલના સમયમાં જોવા મળે છે. આ માંગને ધ્યાનમાં રાખી ને આપણી સંસ્થા પણ મોટી નોટબુકનું વિતરણ વધુ પ્રમાણમાં કરે છે.

આપણા સામાજનો તેજસ્વી વિદ્યાર્થી નાણાંના અભાવે મોટી રકમનો ખર્ચ કરીને ભણી ન શકે અને તે અભ્યાસ વિહોણો ન રહી જાય તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ માટે જેટલા નાણાં ખર્ચાય અથવા તો નાણાંની સહાય કરવામાં આવે એ નાણાં સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે. શિક્ષણ દ્વારા જ સમાજ શક્તિશાળી બને છે. સમાજને બળવાન અને સમ્રુધ્ધ બનાવવો હોય તો શિક્ષણ પ્રત્યે સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે. સમાજના મોભીઓએ આ બાબતે સૌથી વધારે ધ્યાન આપીને જેટલો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે લોન આપવામાં આવે છે.સમાજમાંથી લોન પ્રાપ્ત કરી ને ધણા વિદ્યાર્થીઓ ઈજનેર અને તબીબ બન્યા છે. આજ વ્યકિતઓ કુટુંબની આધારશિલા પણ બનશે અને સમાજ મજબૂત બનશે.

ઉચ્ચ શિક્ષણની લોન લેનાર વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થાય એટલે લોનની રકમ હપ્તા દ્વારા ભરપાઈ કરવા માટે ધ્યાન રાખવાની જરૂર પડે છે. લોન ભરપાઈ માટે લોન લેનાર વિદ્યાર્થીના વાલી અને જામીનદારે કાળજી ધ્યાન રાખવાની જરૂર છે. એમ હું માનું છું. જામીન થનાર વ્યકિત સંસ્થાનો સભાસદ અને મિલકતદાર હોવો જરૂરી છે.

આ યોજનામાં અભ્યાસક્રમ ને ધ્યાન રાખીને લોન ની રકમ મંજુર કરવામાં આવે છે. વધારેમાં વધારે રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની લોન મળી શકે છે.

આ યોજનાનો લાભ જેમને લોન ની જરૂરિયાત હોય તેમણે જ લેવો જોઈએ જેમને જરૂરિયાત નથી એવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું નહિ. લોનની રકમ મોટે ભાગે બે હપ્તામાં અને બે વર્ષની મુદતમાં આપવામાં આવે છે.

આ યોજના સમજ માટે આશીર્વાદ રૂપ છે. સમાજમા ઘણા કુટુબોની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. આવા કુટુબોના બાળકોને કોલેજ કક્ષાનો અભ્યાસ્ક્રમ કરવો હોય તો ઘણી મુશ્કેલી પડે છે. આવી જરૂરિયાત ધરવતા વિધ્યાર્થીને ફ્રી અથવા શિષ્યવ્રુતિ મળે તો તેઓ અભ્યાસ કરી શકે અને પોતનુ કેરિયર બનાવી શકે એવા શુભ હેતુથી આ યોજના શરૂ કરવમા આવેલ છે.

આ યોજનામા ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ચકસણી કર્યા બાદ ફ્રી (શિષ્યવ્રુતિ) આપવામાં આવે છે. સમાજમાં જેમની આર્થિક સ્થિતિ સારી હોય તેમણે આ ફોર્મ ભરવુ નહિ, એવો ખસ અનુરોધ કરવામાં આવે છે.

આજના સમયમાં રોગોની સારવારનો ખર્ચ કરવાની ક્ષમતા ધણા કુટુંબો પાસે નથી. આજે સારવાર ખર્ચ હજારો અને લાખો રૂપિયામાં થતો જોવા મળે છે. સમાજમાં મેડિકલ ખર્ચ માટે મદદ થઈ શકે તે માટે આ ફંડ છ્લકાય જાય તે માટે સમાજમાં આર્થિક રીતે સંપન હોય તેવી વ્યકિતઓ ઉદાર હાથે ફાળો આપે તે માટે અનુરોધ કરું છુ. આવા શુભકાર્યમાં મદદરૂપ થનારા વ્યકિત “જનસેવા એજ પ્રભુ સેવા” નું સુત્ર સાર્થક કરશે એમ હું માનું છું. આ ફંડ માટે લક્ષ્યાંક ન હોય શકે, જેટલું ફંડ વધારે એટલી સહાય પણ વધારે આપી શકાય.

સમાજની વ્યકિતઓને ઉપયોગી થવાય એવા હેતુથી વૈદકિય સારવાર માટે સાધનો ખરીદેલાં છે. જેમાં વ્હીલચેર,ખુરશી,વોકર,લાકડી,ધાતું નું ટબ,બગલ ધોડી, ખુરશીવાળું ટબ વગેરે છે.સમાજની વ્યકિને જરૂર પડે તેમને કોઇપણ જાતના ચાર્જ વગર સાધનો વાપરવા માટે આપવામાં આવે છે. સાધન પરત થયે લીધેલ ડીપોઝીટ પરત કરવામાં આવે છે. નવા સાધનોમાં લોખંડના પલંગ, મોડર્ન વ્હીલચેર,જાજરૂ ટબ, વોકર, બગલ ધોડી વગેરે છે.

શ્રી સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના ગામડાંઓમાં અને શહેર વિસ્તારમાં વસતાં બધાંજ કુટુંબો આર્થિક રીતે સક્ષમ નથી. જે કુટુંબોને મેડિકલ સારવાર લેવા માટે નાણાંના અભાવે લાંબા સમય સુધી માંદગી ભોગવવી પડે છે. અને સારવાર લઈ શકતા નથી આવા કુટુંબોને સહાય કરવા માટે આ યોજના અમલમાં આવેલ છે. આ યોજના દ્વારા “મેડિકલ સહાયફંડ” નું ભંડોળ વધુમાં વધુ થાય એ હેતુથી આ યોજના શરૂ કરેલ છે.ફંડ માટે પ્રતિનિધિની અને યુવાનોની ઉદાસીનતાને લીધે જેટલો પ્રચાર થવો નથી અને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. જે ગામો યુવાનો અને ગ્રામ પ્રતિનિધિઓ સક્રિય હતા ત્યાં ફંડ ભેગું થયું છે. તેઓને મારા અભિનંદન હું આશા રાખું છું કે યુવાનો અને ગ્રામ પ્રતિનિધિઓ આ વર્ષની શરૂઆતથી જ સક્રિય થશે તો આપણે સારું એવું ભંડોળ ઊભું કરીશું એવી મને શ્રધ્ધા અને આશા છે.

આપણા સમાજમાં જરૂરિયાતમંદ વિધવા-ત્યકતા બહેનો છે. આ બહેનોને જીવન નિર્વાહની મુશ્કેલી પડે છે.આવી બહેનો માટે આ યોજના શરૂ કરવામાં આવેલ છે. આપણી સંસ્થા પ્રમાણે સહાય કરે છે. કેટલીક વિધવા-ત્યકતા બહેનો “ઉમિયા માતાજી સંસ્થાઊઝા” તરફ્થી પણ સહાય આપવામાં આવે છે.

જે વિધવા-ત્યકતા બહેનોના દીકરા ૨૧ વર્ષની ઉંમરના થઈ જાય તેમને સહાય આપવામાં આવતી નથી. આ બાબતની જાણ વિધવા-ત્યકતા બહેનોની મિટિંગ બોલાવીને કરવામાં આવી હતી.

આપણા સમાજમાં કેટલીક વ્યકિતઓ પોતાના પુત્ર/પુત્રીના લગ્ન સમારંભ કે અન્ય સમારંભ માટે “અમીધારા” સમાજભવન સ્વતંત્ર રીતે ભાડે રાખે છે. તેવી વ્યકિતઓ સંસ્થા તરફથી બીલમાં ૪૦% રાહત આપવામાં આવે છે. ગેસ અને વીજ્ળી બીલમાં રાહત આપવામાં આવતી નથી.જેની ખાસ નોંધ લેવી.